મોતી!!!!!!(લઘુકથા) -ભરત બાપોદરા "નાનીમા ! ખેમો ઘીરે સે ?" રણછોડનો સાદ સાંભળીને સમજુ ડોશી ઘરની બહાર આવી. ફળિયામાં ઊભેલા રણછોડને કહ્યું : "અરે, આઇવ રણછોડ ! ન્યાં કને ચ્યમ ઊભો સે, દીકરા ? ખેમો ઘીરે જ સે. આવતો રે માઇલીકોર..." "પણ નાનીમા ! અત્તારે બેહાય અટલો વખો નથ્ય.." "ચ્યમ વળી ?" "અરે નાનીમા ! નાથુનો જવાનજોધ ભગજી...." "કાંવ થ્યું ભગજીને ?" "એરુ આભડવાથી ફાટી પઈડો સે બચ્ચારો...!" "હાય રામ !" "હા, નાનીમા !" રડતાં રડતાં રણછોડ બોલ્યો : "એકનો એક ભગજી ઈનાં મા-બાપની નોંધારા મેલીને હાલી ગિયો...! ઈનાં મા-બાપ કાંવ રોવે સે.. કાંવ રોવે સે..!" થોડીવાર ચોમેર સન્નાટો છવાઈ ગયો. ફરી રણછોડ બોલ્યો : "નાનીમા ! ઈને મહાણે પોગાડવો સે ની ઈ સાટુ ખેમાની બરકવા આઈવો સઉં.." આ વાર્તાલાપ સાંભળીને ખેમો ઘરની બહાર આવ્યો અને રણછોડને કહ્યું : "રણછોડ ! અત્તારે મારાથી ન્યાં કને પોગાય ઈમ નથ્ય.." "ચ્યમ નીં પોગાય ?" "તુંણી ખબર્ય નથ્ય, ભગવાનજી શેઠનો મોતી પણ આજે મરી ગ્યો સે !" "પણ ખેમા ! શેઠનો મોતી તાં ઘઈડો હુતો ની શેઠ કૂતરાની તો મહાણી પોગાડવા જવાના નુતા !" "અરે રણછોડ ! શેઠ તો ઈ મોતીને સમાધિ દેવા માગે સે ! તું શેઠને આંગણે જઈને જોઈ તો આવ... આખું ગામ ન્યાં કને ભેગું થ્યું સે !" "પણ અંઈ ?" "અંઈ ને બંઈ, રણછોડ ! આપણા ઉપર શેઠના ચાર હાથ સે. તેથી પેલાં તો ન્યાં જ જાવું પડે ! તારે જાવું હોય તો તું ભગજીને મહાણે પોગાડવા જા, બાકી મારે તો શેઠના કૂતરાને સમાધિ દેવા જાવું સે !" રણછોડ પણ ચૂપ થઈને ખેમાની પંગતમાં જતો રહ્યો....

Comments

Popular posts from this blog

રાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામ વચ્ચે 'દુનાના ટીંબા' નામથી ઓળખાતો એક ટીંબો આવેલો

ગાય માતા વીછે જાણવા જેવું છે

*નમસ્કાર સાહેબ*વંદે માતરમ*સાહેબ હું ગુજરાત રાજયનો એક દુઃખી VCE છું.**યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી* ગુજરાતમાં ચાલી રહેલ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિકની હડતાલ વિશે માહિતગાર કરતા સોશ્યિલ મીડિયાના માધ્યમથી એક મેસેજ કરીને સત્ય હકીકત વાત કહું છું. કે હાલ ગુજરાતમાં ચાલી રહેલ ઇ-ગ્રામ વીસીઈ (ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ) દ્વારા માંગણીના સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર હોય હાલ ગુજરાત સરકાર દ્વારા VCE નું કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથીજેથી હું એક ગુજરાતના નાગરિક તરીકે VCE તરીકે માહિતગાર કરવા માગું છું. તેમજ આ યોજના ગુજરાતમાં આપશ્રી મુખ્યમંત્રીશ્રી તરીકે હતા ત્યારે આપશ્રી દ્વારા ઇ-ગ્રામ યોજના લાગુ કરવામાં આવેલ હતી, જે યોજનાને આજે 16 વર્ષ થઈ ગયા અને આજે પણ VCE કમિશન બેઝ પર કામગીરી કરે છે. જે કમિશન બેઝ બંઘ થાય અને પગાર આપવામાં આવે એ માટેની માંગણીઓને સ્વીકારવામાં આવેલ નથી. *વીસીઈ* દ્વારા સતત કામગીરી કરીને આજે ડીજીટલ ગુજરાતને નામના અપાવવામાં અમૂલ્ય યોગદાન આપેલ છે. *ડબલ એન્જીન સરકાર દ્વારા VCE ને હજુ સુધી ન્યાય આપવામાં આવેલ નથી તેમજ VCE ના આંદોલનનું નિરાકરણ કરવામાં આવેલ નથી**મોંઘવારીનો માર અને કમિશન નજીવું મળતું હોય ઘર પરિવારનું ગુજરાન પણ ચાલતું નથી. માટે અમેં પગાર માંગીએ છીએ.**બહુ દુઃખ સાથે આપશ્રીને આ મેસેજના માધ્યમથી VCE ની વેદના પહોંચાડવા પ્રયાસ કર્યો છે*આ બાબતે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય ન્યાય VCE ને આપવામાં આવે મારી નમ્ર વિનંતી.*જય હિન્દ વંદે માતરમ*લી.*વગર પગારનો દુઃખી VCE*🙏🙏🙏🙏🙏🙏માન. મોદી સાહેબશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. આગળ શેર કરતા રહેજો.